સુરખાઈ ખાતે ઢોડિયા સમાજનો પાંચમો જીવનસાથી પસંદગી મેળો યોજાયો
શ્રીમતી શાંતાબા નારણદાસ પટેલ સમાજભવન, સુરખાઈ ખાતે શ્રી ધોડિયા સમાજ જીવનસાથી પસંદગી મંચના ઉપક્રમે બે દિવસીય સમાજના લગ્નોત્સુકો માટે પાંચમા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પસંદગી મેળામાં સમાજના ૧૫૦ જેટલા વિધવા-વિધુર અને અપરિણિત યુવક યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પસંદગી મેળામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોનો ખૂબ સારો પ્રતિભાવ મળ્યો હતો.