શ્રીમતી શાંતાબા નારણદાસ પટેલ સમાજભવન, સુરખાઈ ખાતે શ્રી ધોડિયા સમાજ જીવનસાથી પસંદગી મંચના ઉપક્રમે બે દિવસીય સમાજના લગ્નોત્સુકો માટે પાંચમા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પસંદગી મેળામાં સમાજના ૧૫૦ જેટલા વિધવા-વિધુર અને અપરિણિત યુવક યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પસંદગી મેળામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોનો ખૂબ સારો પ્રતિભાવ મળ્યો હતો.
પસંદગી મેળામાં ડો.પ્રદીપભાઈ ગરાસિયા, પ્રમુખશ્રી, સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજય, શ્રી મુકેશભાઈ મહેતા, મંત્રીશ્રી, દિશા ફાઉન્ડેશન, વસરાઇ, વગેરે સમાજના આગેવાનો દ્વારા દીપ પ્રગટાવીને કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શ્રી ધોડિયા સમાજ જીવનસાથી પસંદગી મંચના પ્રમુખશ્રી અશોકભાઈ દ્વારા પસંદગી મંચના આયોજન માટેના કારણો સાથેની જરૂરિયાત સમજાવી અને ઉપસ્થિત યુવકો અને યુવતીઓને જીવનસાથી પસંદગી માટે જરૂરિયાત જણાય ત્યાં બાંધછોડ કરીને પણ સંસાર વસાવવા માટે અનુરોધ કર્યો હતો.
આ પસંદગી મેળાના આયોજકો એવા ઢોડિયા સમાજ જીવનસાથી પસંદગી મંચના હોદ્દદારો તથા સક્રિય સભ્યો દ્વારા તન-મનથી આયોજનને સફળતા અપાવવા માટે ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું હતું. જેનો શ્રેય પસંદગી મંચના તમામ હોદ્દેદારો તથા ઉપસ્થિત ઉમેદવારોને જાય છે.